Luke 4

1ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થઈને યર્દનથી પાછા વળ્યા. અને ચાળીસ દિવસ સુધી આત્માથી અહીંતહીં દોરાઈને અરણ્યમાં રહયા, 2તે [દરમ્યાન] શેતાને ઈસુની પરીક્ષણ કરી; તે દિવસોમાં તેમણે કંઈ ખાધું નહિ, તે સમય પૂરા થયા પછી તે ભૂખ્યા થયા.

3શેતાને ઈસુને કહ્યું કે, ‘જો તમે ઈશ્વરના દીકરા હોય તો આ પથ્થરને આજ્ઞા કરો કે, તે રોટલી થઈ જાય. 4ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘એમ લખ્યું છે કે, માણસ એકલી રોટલીથી જીવશે નહિ.’

5શેતાન તેમને ઊંચી જગ્યાએ લઈ ગયો, અને એક ક્ષણમાં જગતનાં બધાં રાજ્ય તેમને બતાવ્યા. 6શેતાને ઈસુને કહ્યું કે, ‘કેમ કે એ મને આપેલ છે, અને હું જેને તે આપવા ચાહું તેને તે આપું છું; 7માટે જો તમે મને નમીને ભક્તિ કરશો તો તે સઘળું તમારું થશે.’

8અને ઈસુએ તેને ઉત્તર આપતાં કહ્યું કે, ‘એમ લખ્યું છે કે, તારે તારા ઈશ્વર પ્રભુની ભક્તિ કરવી, અને એકલા તેમની જ સેવા કરવી.’

9તે ઈસુને યરૂશાલેમ લઈ ગયો, અને ભક્તિસ્થાનના શિખર પર તેમને ઊભા રાખીને તેણે તેમને કહ્યું કે, ‘જો તમે ઈશ્વરના પુત્ર હો તો અહીંથી નીચે કૂદી પડો. 10કેમ કે લખ્યું છે કે, તે પોતાના દૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે કે તેઓ તારું રક્ષણ કરે; 11તેઓ પોતાના હાથે તમને ઝીલી લેશે, રખેને તમારો પગ પથ્થર પર અફળાય.’

12ઈસુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, ‘એમ લખેલું છે કે, તારે તારા ઈશ્વર પ્રભુની કસોટી ન કરવી.’ 13શેતાન સર્વ પ્રકારની પરીક્ષણ કરીને કેટલીક મુદ્ત સુધી તેમની પાસેથી ગયો.

14ઈસુ આત્માને પરાક્રમે ગાલીલમાં પાછા આવ્યા, અને તેમના વિષેની વાતો આસપાસ આખા દેશમાં ફેલાઈ ગઈ. 15અને તેમણે તેઓનાં ભક્તિસ્થાનમાં બોધ કર્યો, અને બધાથી માન પામ્યા.

16નાસરેથ જ્યાં ઈસુ મોટા થયા હતા ત્યાં તે આવ્યા, અને પોતાની રીત પ્રમાણે વિશ્રામવારે તે ભક્તિસ્થાનમાં ગયા, અને વાંચવા સારુ તે ઊભા થયા. 17યશાયા પ્રબોધકનું પુસ્તક તેમને આપવામાં આવ્યું, તેમણે તે ઉઘાડીને, જ્યાં નીચે દર્શાવ્યા પ્રમાણે લખ્યું છે તેનું વાચન કર્યુ કે,

18‘પ્રભુનો આત્મા મારા પર છે, કેમકે દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરવા સારુ ઈશ્વરે મારો અભિષેક ક્યોં છે; બંદીવાનોને છુટકારો તથા દ્વષ્ટિહીનોને દ્વષ્ટિ આપવાનું જાહેર કરવા, પીડિતોને છોડાવવા 19તથા પ્રભુનું માન્ય વર્ષ પ્રગટ કરવા સારુ ઈશ્વરે મને મોકલ્યો છે.’

20પછી તેમણે પુસ્તક બંધ કર્યુ, સેવકને પાછું આપીને બેસી ગયા, પછી સભામાં બધા ઈસુને એકનજરે જોઈ રહયા. 21ઈસુ તેઓને કહેવા લાગ્યા કે, ‘આજે આ લેખ તમારા સાંભળતાં પૂરો થયો છે.’ 22બધાએ તેમના વિષે સાક્ષી આપી, અને જે કૃપાની વાતો તેમણે કહી તેથી તેઓએ આશ્ચર્ય પામીને કહ્યું કે, ‘શું એ યૂસફનો દીકરો નથી?’

23ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે મને નિશ્રે કહેશો કે, વૈદ, તમે પોતાને સાજા કરો.’ કફર-નહૂમમાં કરેલા જે જે કામો વિષે અમે સાંભળ્યું તેવાં કામો અહીં તમારા પોતાના પ્રદેશ (વતન)માં પણ કરો. 24ઈસુએ કહ્યું કે, ‘હું તમને ખરેખર કહું છું કે, કોઈ પ્રબોધક પોતાના વતનમાં સ્વીકાર્ય નથી.

25પણ હું તમને સાચું કહું કે એલિયાના સમયમાં સાડા ત્રણ વર્ષ સુધી વરસાદ વરસ્યો નહિ, આખા દેશમાં મોટો દુકાળ પડ્યો, ત્યારે ઘણી વિધવાઓ ઇઝરાયલમાં હતી; 26તેઓમાંની અન્ય કોઈ પાસે નહિ, પણ સિદોનના સારફાથમાં જે વિધવા હતી તેની જ પાસે એલિયાને મોકલવામાં આવ્યો હતો. 27વળી એલિશા પ્રબોધકના વખતમાં ઘણા કુષ્ટરોગીઓ ઇઝરાયલમાં હતા, પરંતુ અરામી નામાન સિવાય તેઓમાંનો અન્ય કોઈ શુદ્ધ કરાયો ન હતો.

28એ વાત સાંભળીને સભામાંના સૌ ગુસ્સે ભરાયા; 29તેઓએ ઊઠીને ઈસુને શહેર બહાર કાઢી મૂક્યા, અને તેમને નીચે પાડી નાખવા સારુ જે પહાડ પર તેઓનું શહેર બાંધેલું હતું તેના ઢોળાવ પર તેઓ ઈસુને લઈ ગયા. 30પણ ઈસુ તેઓની વચમાં થઈને ચાલ્યા ગયા.

31પછી તે ગાલીલના કફર-નહૂમ શહેરમાં આવ્યા. એક વિશ્રામવારે ઈસુ ભક્તિસ્થાનમાં તેઓને બોધ આપતા હતા; 32ત્યારે તેઓ તેમના બોધથી આશ્ચર્ય પામ્યા, કેમકે તેનું બોલવું અધિકૃત હતું.

33ત્યાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ હતો, તેણે મોટે ઘાંટે કહ્યું કે, 34‘અરે, ઈસુ નાઝીરી, તમારે અને અમારે શું છે? શું તમે અમારો વિનાશ કરવા આવ્યા છો? તમે કોણ છો તે હું જાણું છું, એટલે ઈશ્વરના પવિત્ર!’

35ઈસુએ તેને ધમકાવીને કહ્યું કે, ‘ચૂપ રહે, અને તેનામાંથી નીકળ’. અશુદ્ધ આત્મા તેને લોકોની વચમાં પાડી નાખીને તેને કંઈ નુકસાન કર્યા વિના નીકળી ગયો. 36બધાને આશ્ચર્ય લાગ્યું, અને તેઓએ એકબીજાને કહ્યું કે, ‘આ કેવા શબ્દો છે! કેમકે તે અધિકાર તથા પરાક્રમ સહિત અશુદ્ધ આત્માઓને હુકમ કરે છે, ને તેઓ નીકળી જાય છે?’ 37આસપાસના પ્રદેશનાં સર્વ સ્થાનોમાં ઈસુ વિષેની વાતો પ્રસરી ગઈ.

38ભક્તિસ્થાનમાંથી ઊઠીને ઈસુ સિમોનના ઘેર ગયા. સિમોનની સાસુને સખત તાવ આવતો હતો, તેને મટાડવા માટે તેઓએ તેમને વિનંતી કરી. 39તેથી ઈસુએ તેની પાસે ઊભા રહીને તાવને ધમકાવ્યો, અને તેનો તાવ ઊતરી ગયો; તેથી તે તરત ઊઠીને તેઓની સેવા કરવા લાગી.

40સૂર્ય ડૂબતી વખતે જેઓ વિવિધ પ્રકારના રોગથી પિડાતાં માણસો હતાં તેઓને તેઓ ઈસુની પાસે લાવ્યા, અને તેમણે તેઓમાંના દરેક પર હાથ મૂકીને તેઓને સાજાં કર્યાં. 41ઘણાંઓમાંથી અશુદ્ધ આત્માઓ નીકળી ગયાં, અને ઘાંટો પાડીને કહેતા હતા કે, ‘તમે ઈશ્વરના દીકરા છો!’ તેમણે તેઓને ધમકાવ્યા, અને બોલવા દીધા નહિ, કેમકે તેઓ જાણતા હતા કે, ‘તે ખ્રિસ્ત છે.’

42દિવસ ઊગ્યો ત્યારે ઈસુ નીકળીને ઉજ્જડ જગ્યાએ ગયા, લોકો તેમને શોધતા શોધતા તેમની પાસે આવ્યા, તે તેઓની પાસેથી ચાલ્યા ન જાય માટે તેઓએ તેમને રોકવા પ્રયત્નો કર્યાં. 43પણ તેમણે તેઓને કહ્યું કે, ‘મારે બીજાં શહેરોમાં પણ ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવી જોઈએ, કેમકે એ માટે મને મોકલવામાં આવ્યો છે.’ ગાલીલનાં દરેક ભક્તિસ્થાનોમાં તે સુવાર્તા પ્રગટ કરતા રહ્યા.

44

Copyright information for GujULB